હળવદમાં માવઠાના કારણે થયેલા પાક નુકસાનીનું સર્વે કરી રાહતની રજૂઆત કરતાં ધારાસભ્ય
હળવદ અને ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પંથકમાં વરસેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના વિવિધ પાકોમાં નુકસાન થયું છે હાલમાં મગફળી, કપાસ ,બાગાયતી પાકને ખૂબ જ નુકસાન થયું છે અને ખેડૂતોને આ મોટી નુકસાન ભોગવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે આથી ખેડૂતોને પાક નુકશાનીનો તાત્કાલિક સર્વે કરી રાહત પેકેજ આપવા માટે હળવદ ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરી છે.


