હળવદમાં વિરાટ સનાતન હિન્દુ સંમેલનમાં જગતગુરુ શંકરાચાર્યએ આશિર્વચન પાઠવ્યા
હળવદના સરસ્વતી શિશુ મંદિર ખાતે શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ આશિર્વચન પાઠવ્યા હતા દ્વારકા પીઠનાં જગતગુરુ શંકરાચાર્ય ગતકાલે હળવદમાં પધાર્યા હતા અને મોટીસંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા હતા તેમની પધરામણી સરકારી વકીલ વિજયભાઈ જાનીના નિવાસસ્થાન કરાઈ હતી ત્યારે આજે તેમનાં નિવાસસ્થાનથી શોભાયાત્રા નીકળી હતી અને સરસ્વતી શિશુ મંદિર ખાતે ભવ્ય વિરાટ સનાતન હિન્દુ સંમેલનમાં જગતગુરુ શંકરાચાર્યએ આશિર્વચન પાઠવ્યા હતા આ તકે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા





